સમય ને ઓળખીયે પ્રાચીન તીર્થો ઉપર આપણા અધિકારો સુનિશ્ચિત કરી લેવા નો સમય,
અયોધ્યામાં રામમંદિરની પ્રતિષ્ઠાના પ્રસઁગ ને અનુલક્ષીને જે ચાલી રહ્યું છે તેના ઉપર થી એક વાત સમજવા જેવી છેં, હાલ માં અયોધ્યl નો પ્રત્યેક વિકાસ સરકાર નક્કી કરે છેં. સમગ્ર આયોજન સરકાર નક્કી કરે છેં. 2024 ની ચૂંટણી ના પરિણામ અયોધ્યા ડિસાઈડ કરશે, માટે જ કોને કોને નિમંત્રણ આપવા એ સરકાર નક્કી કરે છે. આ સરકારી જમેલામાં મૂળભૂત ધર્માવલંબીઓના અધિકારો કેટલા? આખે આખો કાર્યક્રમ, અનુષ્ઠાન બધું જ સરકાર નક્કી કરે. હવે તીર્થોના વિકાસ માં સરકાર લાળ ચાખી ગઈ છેં. એક પછી એક ચાલશે. ઉત્તરપ્રદેશનો અને યોગીનો દબદબો જોઈ ને ગુજરાત રાજસ્થાન, મધ્ય પ્રદેશ વિગેરે સરકાર પણ હીરો બનવા જશે. આપણા ઘણા આગેવનો અને મોડર્ન સંસ્થાઓ પણ સરકારને સામે થી વિકાસ ની ઓફર કરશે તક આપશે. એક વાર આપણા તીર્થોના સરકારી વિકાસ થવા દો, વધારામાં આપણે ત્યાં તો પૈસા ની રેલમછેલ છેં. રેલ, પ્લેન, સિક્સ 6 – વે હાઇવે, વિશાળ જળ વિસ્તાર, વોટર વે. સુંદર પહાડ, મનોહર જંગલો, અનુકૂળ પર્યાવરણ, પ્રમાણ માં સસ્તી ધર્મશાળા, ડૉનેશનો નો વરસાદ આ બધી આધ્યાત્મિક વિકાસ ની જોગવાઈઓ ને જો સરકારી સમર્થન મળી જાય ત્યારે સમજવું કે સ્પિરિચ્યુલ ( spiritual) પ્રોપર્ટીસ નો સરકારીકરણ થઇ રહ્યું છેં અને તેનો ઉપયોગ આધ્યાત્મિક વિકાસના પેકીંગમાં ભૌતિક વિકાસ અને આર્થિક વિકાસ માટે થશે, દેશ વિદેશના સહેલાણીઓને આકર્ષવા માટે થશે. તીર્થોનું કોમર્શિયલાઈઝેશન થઇ રહ્યું છે. અહીં શ્રદ્ધા, ધર્મ, પવિત્રતા ના રેપર જ છે છે, અધ્યાત્મિક વિકાસ ની અપેક્ષા જ ન રાખવી.